Share Your Friends

બ્રેકિંગ ન્યૂઝ:વાવાઝોડાએ મુંબઈના દરિયામાં જહાજ ડૂબાડ્યું, 170 ગુમ; 140થી વધારે લોકોને બચાવાયા

તાઉ-તે વાવાઝોડાના કારણે બે જહાજ મુંબઈથી 175 કિમી દૂર હીરા ઓઈલ ફિલ્ડ પાસે દરિયામાં ફસાઈ ગયા હતા. તેમાં 273 લોકો હતા. તેને બચાવવા માટે INS કોચ્ચી અને INS તલવાર તહેનાત કરવામાં આવ્યા હતા. હજી પણ જહાજમાં ફસાયેલા 170 લોકો ગુમ છે. તેમાંથી 140થી વધારે લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

લાઈવ વાવાઝોડું કાય છે તે જોવા આ લિંક પર ક્લિક

આ સિવાય એક અન્ય જહાજ પણ સમુદ્રમાં ફસાયું છે. તેને બચાવવા માટે INS કોલકાતાને મોકલવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ, તેમાં 137 લોકો હતા, તેમાંથી માત્ર 38 લોકોને જ રેસ્ક્યૂ કરાઈ શકાયા છે.

મધવાલે જણાવ્યું કે મુંબઈ હાઈ વિસ્તારમાં સ્થિતિ હીરા તેલ ક્ષેત્રમાં બોટ પી-305ની મદદ માટે INS કોચીને મોકલવામાં આવ્યુ હતુ, તેમાં 273 લોકો છે. તેમણે જણાવ્યું કે INS તલવારને પણ રાહત અભિયાન માટે તહેનાત કરવામાં આવી હતી.

Two ships were stranded at sea near the Hira Oil Field, 175 km from Mumbai, due to Hurricane Tau-Te. There were 273 people in it. INS Kochi and INS Talwar were deployed to save him. 170 people still trapped on the ship are missing. More than 140 people have been rescued.

Apart from this, another ship is also stranded at sea. INS Kolkata has been sent to rescue him. According to the information received, there were 137 people in it, out of which only 38 people have been rescued.

તાઉ-તે 1200 કિ.મી.નું અંતર કાપીને ગુજરાત પહોંચ્યું:20 વર્ષમાં આટલા અંતર બાદ 7 દિવસ સુધી સક્રિય રહેનારું પ્રથમ વાવાઝોડું

તાઉ-તે વાવાઝોડાએ લક્ષદ્વીપની દક્ષિણ દિશામાં સક્રિય થઈને ગુજરાત નજીક દીવ દરિયાકાંઠે પહોંચવા માટે લગભગ 1200 કિલોમીટરનું અંતર કાપ્યું છે. છેલ્લા બે દાયકામાં અરબી સમુદ્રમાં સર્જાયેલા કોઈ વાવાઝોડાએ હજી સુધી આટલું અંતર બનાવ્યું નથી. તાઉ-તે ચક્રવાત 7 દિવસમાં આ અંતરને આવરી લે છે અને પશ્ચિમ કાંઠાનાં 5 રાજ્યો અને 2 દ્વીપ પર ભારે તબાહી મચાવી છે.

કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાત ઉપરાંત લક્ષદ્વીપ અને દીવના દરિયાકાંઠાના ભાગોમાં 200થી 400 મીમી વરસાદ પડ્યો હતો. આ વાવાઝોડું દીવથી 10 કિલોમીટર દૂર અથડાયું છે. વાવાઝોડાનું કેન્દ્ર દીવથી 35 કિ.મી. દૂર પૂર્વ-દક્ષિણમાં છે.

Latest Samcahar /Jobs



હવામાન વિભાગની તકેદારીને કારણે ઓછી જાનહાનિ થઈ
તાઉ-તે સુપર ચક્રવાતથી એક સ્તર નીચેનું ભયંકર વાવાઝોડું છે. આ હોવા છતાં ઓછી જાનહાનિ થઈ છે. આનું મુખ્ય કારણ હવામાન વિભાગની તકેદારી છે, જેમણે તાઉ-તે વાવાઝોડાની દિશા, ગતિ અને અથડાવવાના ચોક્કસ સ્થાનની સચોટ આગાહી કરી હતી.

હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ, ડો.મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે સેટેલાઇટ ઇન્સેટ 3ડી દ્વારા દર 15 મિનિટમાં મળી રહેલા ફોટોગ્રાફ્સ અને પશ્ચિમ કાંઠે આવેલા તિરુવનંતપુરમ, કોચી, ગોવા, મુંબઇ અને ભુજમાં લગાવેલાં 5 રડાર દ્વારા તાઉ-તે પર નજર રાખવામાં આવી હતી. સેટેલાઇટ છબિઓ દ્વારા એના કેન્દ્ર, એટલે કે ‘આઈ’ ઓળખાઈ હતી. ‘I’ ની બદલાતી સ્થિતિ દ્વારા એની આગળ વધવાની દિશા અને ઝડપ ગણતરી કરવામાં આવી હતી.

રડારના ફોટોગ્રાફ્સને મેચ કરીને એની સતત પુષ્ટિ કરવામાં આવી. અમદાવાદ અને મુંબઇના ચક્રવાત કેન્દ્ર અને પુણે-દિલ્હીમાં વિભાગના મુખ્યાલયથી તમામ દરિયાકાંઠાનાં રાજ્યોના અસરગ્રસ્ત વિસ્તારોને ચેતવણી અને વધુ અપડેટ બુલેટિન્સ જાહેર કરવામાં આવ્યું હતું.

The Director General of the Meteorological Department, Dr Mrityunjay Mahapatra, said that Tau-Te was being monitored by satellite inset 3D photographs found every 15 minutes and by five radars installed in Thiruvananthapuram, Kochi, Goa, Mumbai and Bhuj on the west coast. Its center, i.e. ‘I’, was identified by satellite images. The direction and speed of its advance were calculated by the changing position of the ‘I’.

This was consistently confirmed by matching radar photographs. The cyclone centers in Ahmedabad and Mumbai and the department’s headquarters in Pune-Delhi issued warnings and further update bulletins to the affected areas of all coastal states.

સુપર કમ્પ્યુટર અને ગ્લોબલ મોડલ દ્વારા વાવાઝોડાની જાણ થઈ

હવામાન વિભાગના નોઈડા અને પુણેનાં કેન્દ્રો પર બે સુપર કમ્પ્યુટર દ્વારા મેથેમેટિકલ મોડલ ચલાવીને ડેટા વિશ્લેષણ કરવામાં આવે છે. એ આવનારાં બે અઠવાડિયાં માટે હવામાનની આગાહી દર્શાવે છે. 6 મેના રોજ આ આગાહીમાં પ્રથમ વખત વાવાઝોડાની શરૂઆતના સંકેતો મળી આવ્યા હતા. આ પછી વધુ 6 ગ્લોબલ મોડલ, જેમાં 3 અમેરિકન, 1 યુરોપિયન યુનિયન, 1 જાપાન અને 1 ફ્રાન્સનાં મોડલનાં તારણોને સામેલ કરવામાં આવ્યાં હતાં અને તાઉ-તે વાવાઝોડાને ટ્રેક કરવામાં આવ્યું હતું. આ પછી દીવ અને ગુજરાતના કેટલાક ભાગોમાં વાવાઝોડું ત્રાટકવાના 7 દિવસ પહેલાં જ એનો માર્ગ, ગતિ વિશે માહિતી આપવામાં આવી હતી.

Share Your Friends